આયુષ્માન ભારત યોજના 2025: ભારત સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) 2025માં પણ લાખો પરિવારો માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ₹5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવર આપવામાં આવે છે.

PM-JAY 2025 હેઠળ દર વર્ષે ₹5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવર મળે છે. જાણો પાત્રતા, કાર્ડ પ્રક્રિયા, ગુજરાતમાં હોસ્પિટલોની યાદી અને 70+ નાગરિકો માટેના નવા લાભ.
આયુષ્માન ભારત યોજના 2025
ભારત સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) 2018થી શરૂ થઈ છે અને આજે એ દેશના લાખો પરિવારો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે – દરેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને ગુણવત્તાસભર અને મફત સારવાર ઉપલબ્ધ કરાવવી.
2025માં યોજનામાં મોટા અપડેટ્સ થયા છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આપમેળે આવરણ આપવામાં આવશે.
આ પણ વાંચો : સરકાર આપશે મહિને ₹1250ની સહાય!
મુખ્ય ફાયદા
દર વર્ષે પ્રતિ પરિવાર ₹5,00,000 સુધીનું કેશલેસ કવર. કોઈ ઉમર કે પરિવાર કદની મર્યાદા નહીં. pre-existing બીમારીઓ કવર. દેશભરના તમામ એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં સારવાર. દવાઓ, ટેસ્ટ, સર્જરી, ICU બધું સામેલ.
યોજના માટે પાત્રતા
SECC 2011 ડેટા આધારિત પરિવારો. ગરીબ અને રોજમજૂરી કરનાર વર્ગ. હવે 70 વર્ષથી વધુ વયનાં નાગરિકો પણ સીધા લાભાર્થી. અન્ય જરૂરી લાયકત માટે સત્તાવાર સાઈટ જુઓ
આ પણ વાંચો : આ વર્ષે દિવાળી ક્યારે છે? 20 કે 21 ઓક્ટોબર?
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
pmjay.gov.in પર જઈ “Am I Eligible” ક્લિક કરો. મોબાઇલ નંબર અને OTP વડે ચકાસણી કરો. નામ લિસ્ટમાં હશે તો ગોલ્ડન કાર્ડ માટે અરજી કરો. નજીકના CSC સેન્ટરથી કાર્ડ પ્રિન્ટ કરાવી લો.
1500થી વધુ રોગોની મફત સારવાર
આયુષ્માન ભારત યોજના (PM-JAY) હેઠળ હૃદયની એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, કિડની ડાયાલિસિસ અને સ્ટોન સર્જરી, કેન્સરની કીમોથેરાપી-રેડિયોથેરાપી, બ્રેઇન ટ્યૂમર અને સ્ટ્રોક જેવી ન્યુરો સર્જરી, ડિલિવરી (નોર્મલ અને સીઝેરિયન), બાળકોની મોટી સર્જરી, હાડકાં-સાંધા બદલવાના ઓપરેશન, એપેન્ડિસાઇટિસ-હર્નિયા-ગૉલ બ્લેડર સર્જરી, આંખની કૅટરેક્ટ ઓપરેશન, કાન-નાક-ગળાની સર્જરી, ICU સારવાર, બર્ન ઈજાની સારવાર, પ્લાસ્ટિક સર્જરી સહિત કુલ 1,500થી વધુ પ્રકારની બીમારીઓ અને ઓપરેશન્સનું કવર મળે છે, જે દર્દીને સંપૂર્ણ કેશલેસ અને મફત ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : ₹3,000 પ્રતિ મહિને મદદ મળશે અને 2 લાખનો વીમો
ગુજરાતમાં લાભ
ગુજરાતમાં દર વર્ષે લાખો પરિવારોને આયુષ્માન કાર્ડ વડે મફત સારવાર મળી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવી મહાનગરોની સાથે ગ્રામિણ વિસ્તારોની મોટી હોસ્પિટલો પણ આ યોજનામાં જોડાઈ છે.
3 thoughts on “હવે દરેક પરિવારને મળશે ₹5 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર – આયુષ્માન ભારત યોજના 2025”